Saturday, December 10, 2011

TIME (સમય)



થોમસ થેઈની જેમણે માનવહક્કો (રાઈટ્સ ઓફ મેન) નામનું પુસ્તક લખેલું તેઓ કહે છે કે માનવીના જીવનમાં એવા કપરા સમય આવે છે જે સમય માનવીના આત્માની પણ તાવણી કરે છે. આવા સમયને પચાવી જાય તે ભાયડો છે, ખરાબ સમયથી ડરી જનાર કુદરતનું સાચું સંતાન નથી. આ મહાન માણસે ૧૮૦૦ની સાલમાં ફ્રાંસને રાજાશાહીમાંથી મુક્ત કરાવેલું. સમય આવે ત્યારે આપણે સૌએ જિંદગીમાં આવેલા કપરા સમયના જુદા જુદા કડવાટ પીધા છે. ખરાબ સમય એ એક એવું ઔષધ છે જેના ઘૂંટ ભરનારો સારા સમયને આનંદથી ભોગવી શકે છે અને ખરાબ સમયને ઈશ્વર-અલ્લાની પ્રસાદી સમજે છે.



તે જો સમયની પીડાને ભોગવી લે તો સમજવું કે એ માણસ ખૂબ જ ચેતનાવાળો છે. જે માણસ જલદી જલદી મહેણાં કે કડવા બોલથી નંદવાઈ જતો નથી તે હરેક સમયનો સામનો કરી શકે છે. તેની સહનશીલતા તેના જીવંતતાની દર્શક છે. આકરા સમયની પીડાને તમારે માત્ર એક સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ સમજવો જોઈએ. સાદા અર્થમાં બેચેની, ચિંતા, મનની વ્યથા એ બધું જ કુદરતી છે. તમે કેટલા આધ્યાત્મિક બની શકો છો તે વાતની ખરાબ સમય ચકાસણી કરે છે. તમે મનોબળ મજબૂત કરો એટલે સમયને પાર કરી ગયા.



દરેક દેશના ફિલોસોફરો માનવીને સમયને પચાવવા અંગે જુદી જુદી રીતે કહી ગયા છે :
1.આફ્રિકન કહેવત છે કે જે માણસ હંમેશાં રોદણાં રોયા કરે છે અને કહ્યા કરે છે કે મારો ‘સમય ખૂબ ખરાબ છે.’ ‘મારો સમય બહુ જ ખરાબ છે.’ પછી તેને કોઈ સાંભળતુ જ નથી.


2.જાપાનમાં કહેવત છે કે સાત સાત વખત પડી જાઓ અને પછી આઠમી વખત પડો ત્યારે ઊભા થઈ જાઓ. કારણ કે સમયે તમને ચકાસી લીધા. તમને હવે તે ‘પાડવા’ નહીં આવે. સમય તમને નમી જશે.


3.જર્મન કવિ ગેટેએ કહેલું કે ‘ફોલો યોર ડ્રીમ્સ, ગુડ ટાઈમ્સ ઓર બેડ ટાઈમ્સ.’ સારો કે નઠારો સમય આવે પણ તમારે તમારાં સપનાંને છોડવાનાં નથી. સપનાંને સાકાર કરીને જ જંપવાનું છે.


ગુડ ટાઈમ્સ-બેડ ટાઈમ્સ, યુ મસ્ટ હેવ યોર શેર ઈન લાઈફ. તમારી જિંદગીમાં ઈશ્વરે નિયત કરેલા સારા અને ખરાબ સમયને સ્વીકારી લેવો જોઈએ, હાર્ડ ટાઈમ્સ’ ઉપર કાવ્ય લખેલું. તેમાં લખેલું કે સમય તમને જે પીડા આપે છે તે પીડાને તમારો મિત્ર સમજો. તે સમયગાળાને પસાર કરી લો. માનવી સામે પીડાનો સમય આવે છે ત્યારે એ સમય તમને ખાતરી આપે છે કે ‘હે ભાઈ! હજી તું જીવંત છો! શાબાશ ઈશ્વર માને છે કે તું ખમી ખાઈશ.’ કરોડો લોકો ખોટી માન્યતાને આધારે કહે છે કે હું તો મારા ખરાબ સમયને અને ગમગીનીને શરાબની બોટલમાં ડુબાડી દઉં છું, પણ ડૉ. જેક્સન બ્રાઉન કહે છે કે ‘તમને ખોટા ભ્રમ છે.


સમય એ માનવીના જીવનમાં એક અતિ આવશ્યક રહસ્ય છે. સમયની થપ્પડો ખાધા વગર માનવીને આ બ્રહ્નાંડના નિયમો સમજાતા નથી. સમય માનવી માટે અનિવાર્ય રહસ્ય પણ છે. આપણને સૌને પળે પળે સમય અસર કરે છે. એમ છતાં સમયના રહસ્યને બહુ ઓછા પારખી શક્યા છે. જે સમયને પારખી ગયા તે જીવન જીતી ગયા છે. તમે ૨૧મી સદીની મોંઘવારીને પચાવી રહ્યા છો જ.



સમયે તક જે મલી તેને સમયસર જડપી લે,
સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય
સદ્-ભાગી કોકને જ ફળી જાય છે સમય

રહેશો ના કોઈ પણ આ સમયના ગુમાનમાં,
સરતો હવાની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઈ એકનો થઈને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય


થાક તો એવો લાગ્યો છે કે ખાઉં વિસામો ઘડી ભર પણ રેસમાં ઉતરેલા સમય ને ક્યાં છે ખબર કે હુંએ વિરમું પલ ભર.

સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે.

તું ચાલ સમયની સાથે સમય તારી સાથે ચાલશે’ આ વાત પણ સાચી છે. અલબત્ત સમય એક જટિલ પરીમાણ છે અને દરેક વખતે તેની સાથે તાલ મેળવી શકાતો નથી તેમ છતાં સહુ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ.



હે માનવ,ફરિયાદ ન કર તું ચાલ સમયની સાથ તો સમય ચાલશે તારી સાથ.















,

જિંદગી બહુ સરળ છે



દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ફરિયાદ સાથે જીવે છે. દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!



જિંદગી એ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે. જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ભય, નવી અપેક્ષા, નવો ઉત્સાહ અને નવા શ્વાસ લઈને આવે છે. હવે પછીના પાના પર શું લખ્યું છે એ આપણને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પાનું આપણે જીવવાનું છે.

એક ડોક્ટર હતા. હંમેશાં ખુશ રહે. એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે? ડોક્ટરે જવાબ આપ્યો કે મારી દવા ઉપરથી હું જિંદગી જીવતા શીખ્યો છું! દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને! ડોક્ટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઈએ છીએ. બસ આવું જ જિંદગીનું છે! ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનું!


દરેક વ્યક્તિ દવા ખાય ત્યારે આવું જ કરે છે, જેટલી બને એટલી ઝડપથી કડવી ગોળી ઉતારી દે છે. આ જ વાત જિંદગીમાં લાગુ પાડી શકતા નથી. કડવું હોય એ ચગળ્યા રાખે છે અને મીઠું હોય એ ઉતારી દે છે! પછી અફસોસ જ કરતાં રહે છે કે જિંદગી કડવી છે. જમતી વખતે કાંકરી આવી જાય તો લોકો થૂંકી નાખે છે. પણ કાંકરી જેવી દુઃખદ ઘટનાઓને ચાવ્યા રાખે છે. કાંકરી આવ્યા પછી કોઈ વ્યક્તિ જમવાનું છોડી દેતી નથી. કાંકરી થૂંકીને પાછી જમવા માંડે છે પણ જિંદગીમાં કંઈક એવું થાય જે દર્દ આપે તો માણસ ખંખેરી નાંખતો નથી. વાગોળતો રહે છે. પેટ ભરવાનું હોય છે અને જિંદગી જીવવાની હોય છે!
માણસને સૌથી વધુ ફરિયાદો કોની સામે હોય છે? મોટા ભાગે પોતાની સામે! કંઈ ન મળે તો છેવટે માણસને પોતાના નસીબ સામે ફરિયાદ હોય છે! મારું નસીબ જ ખરાબ છે! કરવું હતું કંઈક અને થઈ ગયું કંઈક! ધંધામાં જેટલા નફાનો હિસાબ કર્યો હતો એ મળ્યો નહીં.


નોકરીમાં બીજા લોકો મારાથી આગળ નીકળી ગયા. આપણી આગળ કેટલા છે એની ચિંતામાં આપણે ક્યારેય એ જોઈ જ નથી શકતા કે આપણે કેટલાની આગળ છીએ! ત્રીજા નંબરે આવેલો માણસ પહેલા બે વિજેતાની ઈર્ષા કરતો રહે છે પણ પોતાની પાછળ દોડતા પચાસ એને દેખાતા નથી. હું એ બધાથી આગળ છું અને મારા પ્રયાસો મુજબ મને મળ્યું છે.


માણસને પોતાના લોકો પ્રત્યે ફરિયાદો હોય છે. મને કોઈ સમજતું નથી. મારા નસીબમાં જ આવા લોકો લખ્યા છે. સૌથી નજીક હોય એની સામે જ સૌથી વધુ ફરિયાદો! બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. આપણને આખા જગત સામે ફરિયાદ છે. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા સામે કોને કેવી અને કેટલી ફરિયાદ છે?


જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી જેટલી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે. જિંદગી રોકાતી નથી. ગઈ કાલ ગમે એટલી સુંદર હોય તોપણ આપણે તેને રોકી શક્યા નથી અને આજ કદાચ ખરાબ હશે તો પણ ચાલી જવાની છે. કાલની કોઈને ખબર નથી. માણસ હંમેશાં આવતી કાલ સરસ હશે એવી અપેક્ષામાં જીવે છે. પણ એ સરસ દિવસ આવતી કાલે જ હોય એ નક્કી નથી!


જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય.


કેવું છે? માણસને જિંદગી સામે સતત ફરિયાદો હોય છે પણ મોત સામે ફરિયાદ નથી! તેનું કારણ શું? કારણ કે મોત સામે આપણી કોઈ ફરિયાદ ચાલવાની નથી! બધાને ખબર છે કે એક દિવસ મોત આવવાનું છે. ગમે એટલા ધમપછાડા કરીએ તો પણ ચાલવાનું નથી. બધાને ખબર છે કે અંતે તો બધું જ છૂટવાનું છે તોપણ માણસથી કેમ કંઈ છૂટતું નથી? આપણે કેટલું ભેગું કરવું છે એ વિચારીએ છીએ પણ શા માટે ભેગું કરવું છે એ વિચારતા નથી! તેનો જવાબ એટલો જ છે કે આપણે જીવવા માટે બધું ભેગું કરીએ છીએ, જો આ વાત હોય તો થોડુંક એ પણ વિચારો કે આપણે ખરેખર જીવીએ છીએ? કે પછી ફરિયાદો જ કરીએ છીએ?


જીવવા માટે જોઈએ એ બધું જ આપણી પાસે હોય છે, પણ આપણે જીવતા નથી. થોડું મળે એટલે આપણે આપણા ઈરાદા ઊંચા કરી દઈએ છીએ. હા, અપેક્ષાઓ ઊંચી હોય તેમાં કંઈ ખોટું નથી પણ સાથોસાથ જે છે એ જિવાય છે ખરું?
યાદ રાખો, બધાનું પ્લાનિંગ કરો પણ જીવવાનું પ્લાનિંગ ન કરો, કારણ કે જીવવાનું તો દરેક ક્ષણે છે. દરેક ક્ષણને જીવી જવી એ જ જિંદગી છે. ગઈ કાલ પીછો છોડતી નથી એ આવતીકાલની ઉપાધિ છે, આવા સંજોગોમાં આજ કેવી રીતે સારી હોય?
જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. નો રિગ્રેટ્સ, નો કમ્પ્લેઈન. કોઈ ફરિયાદ નહીં. કોઈ શિકવા નહીં અને કોઈ અફસોસ નહીં. દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે ! જિંદગી પર નજર નાખી જુઓ, તમે જીવો તો છોને? કે પછી માત્ર ફરિયાદો કરો છો?











Thursday, September 1, 2011

Happy Ganesh Chaturthi



ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે.
કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
One very famous story is related with this Ganesh Chaturthi's Festival
one day the Gods decided to choose their leader and a race was to be held between the brothers- Kartikeya and Ganesh. Whoever took three rounds of the earth first would be made the Ganaadhipati or the leader. Kartikeya seated on a peacock as his vehicle, started off for the test. Ganesh was given a rat, which moved swiftly. Ganesh realised that the test was not easy, but he would not disobey his father. He reverently paid obeisance to his parents and went around them three times and thus completed the test before Kartikeya. He said, " My parents pervade the whole universe and going around them, is more than going round the earth.


તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
હેત વરસાવે તે માતા.મા એટલે સર્વસ્વ
સ્વથી સર્વમાં વહેંચાય જનાર છે મા.

પિતા - સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.

પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
રાખવું.
માતાપિતાનો ઉપકાર ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
માતાપિતાનો પ્રેમ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
માતાપિતા સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી

The day when your Parents becomes old try to be patient with them and try to understand them as they
did when we were small kid.
If they get dirty while eating or if they find any difficulty while dressing. Be patient Remember those
days when they spent hours and hours for us to teach all this things when we were small kid.
If they repeat some things dozens of time do not interrupt them instead listen them. Remember when you were a kid and you kept asking them to read the same story every day and night untill u feel asleep and  they did it happily.
If they do not wash their ownself often under the shower do not reprimand and dont say them its ashame. Remember how many times we refused to take bath when we were a kid and our parents invented 10 different execuses to take us bath.
By seeing any igorance of new technologies do not laugh at them, Remember how much time we took as a kid to understand mathematics problem with different algebria and gometry's  methods . so give them time to understand.
If sometime they lose memory or they are not able to follow or understand  any conversation. Dont be aggorant or nervous instead give them necessary time to recollect and understand things. Remember how many times we asked  for stupids things to them untill we didnt understand they havent refused to say. Remember for them the most important thing is to be with us and to speak with us.
If they refuse to eat sometime dont force them to eat, they know when they will be hungry and when they will be not hungry. Remember how many times we refused to eat the food when it wasnt of our choices.
If someday they are not able to walkwith their poor legsany more as before just ehlp them in the same way when they helped us to giving their hands in ours and to take our first step .
If someday when thay say i dont want to live any more that i want to die,Dont be angry because one day we will also say the same so try to understand them. Remember when little of the life's problems troubled us and we use to say "I just want to die"
Try to understand that at certain age they dont live but just survise for their childrens.
One day when will be a Parents we will also understand that in spite of all our errors we always wanted the best for our children same as our parents did. So dont feel sad, unfortunate or incomplete in front of your parents in any state Just help them to walk,Help them to Eat, Help them to dress, Help them to talk,Help them to be near to them every time when they need us. Love them in the same way they loved us and be patience with them as they were with us.
The only thing our Parents need from us is to simply love them and smile.


Remember they taught us so many things and confronts to live the life. They taught us to face the difficulties of life.So Remember you are on this beautiful earth because of your Parents. The Name, Fame, Success, Leadful life and wealth all is just because your Mother gave you a Birth and brought you to this earth so always be thankful to them in life.

On this divine occasion.I am wish you all that
You may be blessed with Everlasting peace and happiness.
The lord Sukh Karta, Dukh Harta remove all obstacles & shower u
with bounties.
May Lord Ganapathi shower you with success in all your endeavors
Happy Ganesh Chaturthy to all.








Monday, August 22, 2011

Lord Krishna. The supreme personality of Godhead.




Krishna is Godhead because He is all attractive outside the principle of attraction; there is no meaning to the word Godhead.
We have never seen anyone person who is ultimately and simultaneously wealthy, powerful, famous, beautiful, wise and unattached, like Lord Krishna in the history of humanity.
From the very moment of his appearances to the moment of his disappearance everyone of his activities is unparalleled in the history of the world and therefore anyone who knows what we mean by Godhead will accept that Lord Krishna is the supreme personality of Godhead. No one is equal to the Godhead and no one is greater than him


Lord Krishna is all attractive one should know all his desire should be focused on Krishna. In Bhagwad Gita it is said that the individual person is the proprietor or master of the body, but Krishna who is the super soul present in every one’s heart is the supreme proprietor and supreme master of each and everyone’s heart and every individual body.

As if one concentrates our loving propensities upon Krishna only then immediately universal love, unity and tranquility will be automatically realized.

The art of focusing one’s attention on the supreme and giving one’s love to him is called Lord Krishna‘s consciousness.

          Lord Krishna can perfectly reciprocate one’s loving propensities in different relationship called Mellows or Rasas. Basically there are 16 loving relationship. One can love Lord Krishna as a supreme unknown, as supreme master, the supreme friend, the supreme child, the supreme lover. There are basically 5 Love rasas. One can love Lord Krishna indirectly in 7 different relationships. Which are apparently different the five primary relationships. All in one however if one simply response his dormant loving propensity in Lord Krishna then his life is successful. Lord Krishna is the ultimate object of knowledge and supreme goal of life.

          Lord Krishna is the complete whole and all plenary expansions and incarnation always live with him. The supreme abode of the personality of Godhead, Lord Krishna is also described in the Brahma- samhita as the abode of Cintamani. That abode of Lord Krishna is known as Goloka Vrndavana, which is full of palaces made of touch stone. There are tresses called desire trees, and the cows are called Surabhi. The Lord served these by 100 & 1000 of goddesses of fortune. His name is Govind, the primeval Lord & he is the cause of all causes. There the Lord Krishna played his flute his eyes are like lotus petal and color of his body is like that of cloud on the head is the peacock feather. He is so attractive that he excels 1000 of Cupids. Lord Krishna gives only a little hint in the Gita of his personal abode which is the super most planets in the spiritual kingdom. But in Srimad Bhagavatam, Krishna actually appears with all his paraphernalia and demonstrates his activities in vrndavana than at Matura and then at dwarka.The family of Lord Krishna appear is called a yadu Dynasty.

          Everyone is searching after truth. That is the philosophical way of life. The demigods give information that the supreme Absolute Truth is Lord Krishna .one who becomes fully Krishna conscious can attain the Absolute Truth. Lord Krishna is the Absolute Truth. Relative truth is not truth in all the three phases of eternal time. Time is divided in past, present and future. In the material world everything is being controlled by supreme time, in the course of past, present and future. But before the creation of Lord Krishna was existing and when there is a creation everything is resting in Lord Krishna and when this creation is finished Lord Krishna will remain. Therefore, He is Absolute Truth in all circumstances. If there is any truth within this material world it emanates from the Supreme Truth Lord Krishna. If there is any opulence within this material world the cause of the opulence is Lord Krishna. If there is any reputation and strength in this material world the cause of reputation and strength is Lord Krishna .If there is any wisdom and education in this material world the cause of such wisdom and education is Lord Krishna .Therefore Lord Krishna is the cause of all Relative Truth.

          The supreme personality of Godhead Lord Krishna is situated in everyone’s heart. The supreme personality Lord Krishna is always full of six opulence’s – namely complete wealth, complete strength , complete fame, complete knowledge, complete beauty, and complete renunciation. The Lord Krishna appears in different complete eternal form of incarnation. God is always God in any condition or status and living entities are always a part and parcels of supreme personality of Lord. They can never be equal to the inconceivable supernatural power of the supreme personality of Godhead.

          The Lord is all pervading. As it is stated by Lord Krishna in the Bhagwad- Gita, “Everything is been sustained by Me, but at the same time I am not in everything.” since the Lord Krishna is all pervading. There is nothing existing without his knowledge. The all pervading nature of supreme personality of Godhead can never be within the limited knowledge of living entity. Therefore a person who has attained steadiness of the mind by fixing the mind on the lotus feet of the Lord Krishna is able to understand the supreme Lord to some extent. Therefore only a person who engages the senses always in the service of Lord can control the mind and be fixed at the lotus feet of the Lord. The supreme person is the origin of all qualities. He is generally called       “NIRGUNA “.  Nirguna means without qualities. Guna means quality nir means without. But impersonalists interpret this word nirguna as “having no quality”. Because they are unable to estimate the qualities of the Lord in the transcendental realization, they conclude that the supreme Lord has no qualities. But that is not the actual position, the real position is that He is the original source of all qualities .All qualities are emanating constantly from him. How can the limited person could count the qualities of the Lord? One may estimate    the qualities of the Lord for the moment but the next moment the qualities are increased so it is not possible to make an estimation of the transcendental qualities of the Lord. He is therefore called nirguna his qualities cannot be estimated. The best course is to surrender unto the supreme personality of Godhead with body, mind and words and always be engage in his service.

          So called liberation and bondage have no meaning for a person who is already engaged in your devotional service, just as a person who knows that the rope is not a snake is unafraid. A devotee knows that this material world belongs to You, and therefore engages everything in your transcendental service. It is said that Lord Krishna are just like sun and Maya is like darkness. When the sun is present there is no question of darkness so for those who are always in your presence there is no question of bondage or liberation. If one therefore thinks that the super soul is something different from your personality and thus searches out the super soul somewhere else in forest or in the caves of Himalayas his condition is very lamentable.

Your teaching in Bhagwad Gita are that one should give up all other processes of self-realization and simply surrender unto you, for that is complete. Because you are supreme in everything. You are present in everyone’s heart. And there is no need to search the super soul out anywhere else. If someone does so, he is simply in ignorance. You are both within and without. Your presence is everywhere. One who has attained a little devotional service can understand your glories.

Lord Krishna is therefore the reservoir of all pleasure. Anyone who takes shelter of the lotus feet of lord Krishna enters the boat for crossing over the ocean of nescience. Lord Krishna is the center of all great souls and he is the shelter of the material worlds. For one who is on the platform of Krishna‘s consciouness, Vaikunth is not far away.

A person who takes to Lord Krishna consciousness immediately becomes cleaned of all the dirty things within and without. Lord Krishna is therefore known as Hari. “Hari” means he who takes away.

Lord Krishna immediately takes away all unclean habits from anyone who takes to his consciousness. Therefore Lord Krishna is the supreme personality of Godhead.

        Lord Krishna here confirms that the highest perfect-ional stage of the conditional soul is to surrender to Him. One must give up all other responsibilities. This complete surrender unto supreme personality of Godhead is the most auspicious path for the conditional soul because the supreme Lord is the supreme objective of Love. Everyone loves Lord Krishna ultimately, but the realization is according to the advancement of his knowledge. One comes to understand that his self is the spirit soul, and the spirit soul is nothing but a part and parcel of the supreme lord. Therefore the supreme Lord Krishna is the ultimate goal of Love and thus one should surrender unto him. This surrender is considered auspicious for the conditional soul. Lord Krishna is the central object of love because he gives us all bliss expanding Him in so many ways according to our different situations namely bodily, mental or spiritual.

Lord Krishna is the supreme instructor. There is no doubt about it; he is the teacher of all religious principles. His lotus feet should first have to be worshipped. The worship of your lotus feet is the first principle. You are the only Enjoyer, you are the only Proprietor, and you are the only Friend. You are the supreme beloved. Lord Krishna is known as Hari which destroy all the miseries of all living entities. Especially of those who have left their home and family attachment and have completely taken to you.


Wednesday, August 10, 2011

રક્ષાબંધનની ભેટ

નાનપણમાં શેઠના બંગલે જે બે ભાઈઓ સાથે રમી હતી એમણે સવિતાને મોકલી રક્ષાબંધનની ભેટ.

કિશોરભાઇ મિસ્ત્રી..? રિક્ષામાં બેઠેલી વ્યક્તિએ પાનની દુકાનના ઓટલે ટોળે વળીને બેઠેલાઓ પૈકી એકને પૂછ્યું...
અહીંથી સીધા જઇને... ડાબા હાથે વળશો એટલે તરત એક ઘરની બહાર માંડવો બાંધેલો દેખાશે.

રિક્ષા એ દિશામાં આગળ વધી. આંગણે આવેલી રિક્ષાને જોઇ લગ્નના ઘરમાં થઇ રહેલી ચહલપહલ સ્હેજ અટકી... જિજ્ઞાસા, કુતૂહલ, શંકા જેવા મશિ્રભાવો આંજેલી અનેક નજર રિક્ષામાંથી ઊતરી રહેલી વ્યક્તિ પર પડી. એણે આમતેમ નજર દોડાવી નજીક ઊભેલા એકને પૂછ્યું... કિશોરભાઇ..?
પેલાએ ઘરમાં જોઇ બૂમ પાડી... કિશોરકાકા... ઓ... કિશોરકાકા... ચહેરા પર પ્રશ્નાર્થ લઇ બહાર આવેલા કિશોરકાકાએ અજાણી વ્યક્તિ સામે જોયું... અને કહ્યું... હા... બોલો... હું કિશોર...
પેલી વ્યક્તિએ પેન્ટના ખિસ્સામાંથી એક પેકેટ કાઢી કિશોરભાઈના હાથમાં મૂકતાં કહ્યું...નાના શેઠે મોકલ્યું છે... અમેરિકાથી... કલ્પિતભાઇએ... નામ સાંભળીને કિશોરભાઇના ચહેરા પરના ભાવ ક્ષણભર તો થીજી ગયા... જાણે સાચું ન લાગતું હોય એમ એણે ક્ષણેક તો આવેલી વ્યક્તિ તરફ જોયા કર્યું... એણે કિશોરભાઇનો હાથ રીતસરનો ખેંચી એની હથેળી ખુલ્લી કરી એના પર પેલું પેકેટ મૂકર્યું, ત્યારે જાણે કિશોરભાઇ તંદ્રામાંથી જાગ્યા... નાના... શેઠ... પણ... એમને... માંડ-માંડ બોલી રહેલા કિશોરભાઇને અટકાવી એણે કહ્યું... મોટા શેઠ રમણીકભાઇને તમારી કંકક્ષેત્રી મળી એટલે એમણે... કલ્પિતને... ફોન કરીને...
બાકીના શબ્દો જાણે કિશોરે સાંભળ્યા જ નહીં... બે સગા ભાઇઓ... રમણીક અને કલ્પિત... પોતાની નજર સામે ઉછરીને મોટા થયેલા... કિશોર... આમ તો સૌથી મોટા શેઠનો ડ્રાઇવર... પણ વર્ષોની વફાદારીએ એને બંગલામાં રહેતા કુટુંબનો એક સભ્ય જ બનાવી દીધો હતો... આખા કુટુંબને એના પર આંધળો વિશ્વાસ...આખેઆખા કુટુંબે ધંધો સમેટી લઇ કાયમ માટે અમેરિકા વસવાનો નિર્ણય લીધો ત્યાં સુધી કિશોર એ કુટુંબનો સાથી બની રહ્યો. મોટા શેઠના અકાળ અવસાન બાદ બન્ને ભાઇઓ વચ્ચે થયેલા મનદુ:ખ અને પછી રીતસરના કોર્ટ, કચેરી, પોલીસ કેસનાં ચક્કરોમાં પીડાતા, પીસાતા કુટુંબને જોઇને કિશોરને દુ:ખ થતું પણ એનાથી કોઇનો પક્ષ લઇ શકાય એમ નહોતો.
બન્ને ભાઇઓ વચ્ચે અંતર વધતું જ ગયું... મોટો ભાઇ રમણીક પોતાનો હિસ્સો લઇ અમેરિકા કાયમ માટે ચાલી ગયો તે દિવસે બન્ને ભાઇઓ વચ્ચેના સંબંધ પર જાણે પૂર્ણવિરામ મૂકાઇ ગયું... નાના શેઠ કલ્પિતના ડ્રાઇવર તરીકે એ કામ કરવા માંડ્યો... તક મળતી ત્યારે એ બન્ને ભાઇઓ વચ્ચે સમાધાન થાય એવી પોતાની લાગણી વ્યક્ત કરતો... વર્ષોથી કુટુંબના સભ્ય બની રહેલા અને ઉંમરમાં મોટા કિશોરની આમન્યા રાખી કલ્પિત એને સાંભળી લેતો... અને કહેતો... આપણે ક્યાં સંબંધ કાપ્યા છે... મોટાભાઇએ જ છેડો ફાડી નાખ્યો ને...
થોડાંક વર્ષો બાદ તો નાના કલ્પિતશેઠ પણ અમેરિકા ચાલ્યા ગયા. કિશોરે પોતાના સ્વજન ગુમાવ્યાના દુ:ખ સાથે ગુજરાન માટે બીજી નોકરી સ્વીકારી લીધી. વર્ષોનાં વહાણાં વાયાં. ક્યારેક પિતાની સાથે બંગલે જતી અને નાના હતા ત્યારે રમણીક-કલ્પિત સાથે રમતી કિશોરભાઇની દીકરી સવિતા પરણાવવા જેવડી થઇ ગઇ. સદ્નસીબે જ્ઞાતિના જ એક પ્રતિષ્ઠિત કુટુંબના દીકરા સાથે એનાં લગ્ન નક્કી થયાં. ટૂંકી આવક છતાં એકની એક લાડકોડથી ઉછેરેલી દીકરીને સાસરે વળાવવા કિશોરભાઇએ ધામધૂમથી તૈયારી શરૂ કરી...
વર્ષોથી જર્જરિત થઇ ગયેલી એક ડાયરીનાં પાનાં પર લખી રાખેલા રમણીક શેઠના સરનામા પર એણે સવિતાના લગ્નની કંકોતરી મોકલી... મોટા ભાગની જિંદગી જેમને ત્યાં નોકરી કરી એ કુટુંબને આમંત્રણ આપવાની શિષ્ટતા એ ચૂક્યો નહીં. કંકોતરી રવાના કરીને એ તો લગ્નના કામે લાગી ગયા...

કિશોર... કા...કા... રિક્ષામાં આવેલી વ્યક્તિએ એમના હાથને થપથપાવ્યો ત્યારે કિશોરભાઇ તંદ્રામાંથી જાગ્યા... મહેમાને કહ્યું... કલ્પિતભાઇએ મને ખાસ કહ્યું હતું... તું રૂબરૂ જઇને કિશોરકાકાને મળજે... બીજું કંઇ કામ હોય તો પૂછજે...
આટલા વર્ષોનાં વહાણાં વાયા બાદ પણ નાના શેઠ કેટલી લાગણી રાખે છે ? એ વિચારમાત્રથી કિશોરકાકા ગળગળા થઇ ગયા... એમણે કહ્યું... નાના... શેઠ તો... ભગવાનનો માણસ... બાકીના શબ્દો બહાર નીકળ્યા જ નહીં...

મહેમાનને વિદાય આપીને હજી તો નાના શેઠના આટલા બધાં વર્ષો બાદ આવેલા સંદેશાને હરખભેર વાગોળતાં કિશોરે પેકેટ ખોલ્યું તો એમાં... રોકડા રૂપિયાની મોટી થોકડી હતી... સાથે એક ચિઢ્ઢી હતી... પૂ. કાકા... નાના હતા ત્યારે જેની સાથે રમ્યા હતા એ સવલી આટલી મોટી થઇ ગઇ ? સાચું કહું... કાકા... એ ભાઇ... કહીને મને બૂમ પાડતી ત્યારે સાચે જ મને લાગતું કે ભગવાને મને સવલીરૂપે બહેન જ આપી છે... ને...?
આટલાં વર્ષો સુધી ખબર નથી લઇ શક્યો... માફ કરજો... અને આ સિવાય પણ કંઇ જરૂર હોય તો આ સાથે મારું અમેરિકાનું સરનામું અને ફોન નંબર છે... મને તરત જણાવશો... સવલીને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ... કદાચ આવવાનું થાય એમ છે... ત્યારે જરૂર આપને મળવા આવીશ... તબિયત સાચવશો...
અને... હા.. કાકા... તમારી લાગણી હતી ને કે અમે બે ભાઇઓ વચ્ચે સમાધાન થઇ જાય...? તમને ખબર છે?સવિતાના લગ્નની કંકોતરીમાં તમે અમારા બન્નેનાં નામો લખ્યાં હતાં... મોટા ભાઇએ મને ગઇ કાલે સામેથી ફોન કર્યો અને બાર-બાર વર્ષના અબોલા તોડતાં કહ્યું... કિશોરકાકાના ઘરે પ્રસંગ છે અને તારી કંકોતરી મારા સરનામે આવી હોય તો મારી ફરજ છે તને જાણ કરું... એટલે ફોન કર્યો છે...
કાકા... મોટાભાઇ બોલતાં બોલતાં ગળગળા થઇ ગયા... અને કહે... જે થયું એ ભૂલી જા... કદાચ... સવલીના લગ્નની કિશોરકાકાએ મોકલેલી કંકોતરી નિમિત્તે જ ભગવાને આપણને ફરી ભેગા કરવાનું વિચાર્યું છે... સવલી તો આપણી બહેન જેવી છે... એના પ્રસંગે ભલે હાજર નહીં રહીએ પણ આપણા વચ્ચેની કડવાશ મીટાવીએ તો એ પણ એના માટે અને કિશોરકાકા માટે મોટી ભેટ ગણાશે...
કાકા... તમારી ઇચ્છા પૂરી થઇ છે... અને હા... મોટા ભાઇ તો ત્યાં રૂબરૂ આવવા અહીંથી નીકળી ગયા છે... આમ પણ એ બે-ત્રણ મિટિંગ માટે આવવાના જ હતા... એટલે મને કહે... હું તો રૂબરૂ જઇને કિશોરકાકાને ત્યાં મોહનથાળના ચકતાં ઝાપટીશ...
કાકા... ખુશ... ને...?

લિ... આપનો નાનો શેઠ કલ્પિત...
ચિઠ્ઠી વાંચતાં... વાંચતાં કિશોરકાકાની આંખો ભીની થઇ ગઇ... કલ્પિત શેઠનું સરનામું નહીં હોવાને કારણે રમણીક શેઠને મોકલેલી કંકોતરીએ બે ભાઇઓ વચ્ચે સમાધાન કરાવ્યું એનાથી મોટી સવિતા માટે પણ રક્ષાબંધનની ભેટ બીજી કઇ હોઇ શકે...?

જીવન એક અવસર છે.

જીવન એક અવસર છે, જે ઝડપી લે તેને માટે… જીવન સંઘર્ષ છે જે પોતાની તમામ તાકાતથી સામનો કરે છે તેને માટે…. જીવન એક પડકાર છે, જે સહર્ષ સ્વીકારે છે…. જીવન એક યજ્ઞ છે, જે જ્ઞાન અને શાણપણપૂર્વક બધું જ ‘સ્વાહા’ કરવા તૈયાર છે…. જીવન એક સંગીત છે, જે જીવનમાંથી સંવાદના, સંગીતના મધુર સ્વર નીકળે એવું વાદ્ય બને છે. કૃષ્ણની મોરલી બની અધરે ચઢી જાય છે. જીવન એક જાગરણ છે, પ્રત્યેક કર્મ-તંદ્રારહિત, મૂર્ચ્છા વિના વિવેક અને જાગૃતિપૂર્વક નમ્રતાથી કરે છે તેન માટે. જીવન-આપણું પદ-આપણને મળેલું ગૌરવવતું પદ-સન્માન છે. એના માટે જેની તૈયારી હશે કે આ પદથી હું રાજીનામું નહીં આપું-આ પદને ન શોભે એવું કોઈ કાર્ય હું નહીં કરું, તે શોભશે.

એક જિજ્ઞાસુ એક ગુરુ પાસે જઈ આવેલો. થોડા સમય પછી બીજા ગુરુ પાસે જાય છે, અને કહે છે, ‘આપ બીજા છો, જેની પાસે હું જાણવા આવ્યો છું.’ બીજા ગુરુ એને પૂછે છે કે, ‘પ્રથમ ગુરુએ શું શીખ આપેલી ?’ તો કહે, ‘Learn to accept life and death.’ આ ગુરુ પ્રશ્ને છે, ‘તો હવે, What have you come here for ? અહીં શું જાણવું છે ?’ તો કહે કે ‘How to live inbetween ?’ ‘જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનયાત્રા છે – એ કેમ વિતાવવી ?’ આ મર્મ, રીત, પદ્ધતિ, રસ્તો, પથ અનેક હોઈ શકે. એક આધારશિલા, ગમે તે પથે જાઓ, પણ જોઈશે. મહાદેવી કહે છે કે, ‘આપણે દર વર્ષના માર્ચથી મે સુધી દરિયાકિનારે જઈ પ્રાર્થના સાગરને નથી કરતા, કે હે દરિયાદેવ, સૂર્યને તારું જળ આપજે, વર્ષા સારી થાય. રાતે વહેલા જાગીને કે સંધ્યા સમયે નિત્ય સૂર્યને વિનવતા નથી, સવારે જરૂરથી આવજો. વાયુ-પવનને ક્યારેય વિનંતી કરતા નથી કે તું સદાય આવતો રહેજે. જેથી હું શ્વાસ લઈ શકું. કારણ એ છે કે આપણને ખાતરી છે કે આ બધું ક્રમ-નિયમબદ્ધ ચાલે છે. અપવાદ ક્યારેક હોય. તો જીવન પણ સુપેરે ચાલશે, એવી આસ્થા તો હોવી જ જોઈએ

તેથી જીવનનો મર્મ, આશાનું વૃક્ષ બધે ઉછેરવા પ્રયાસ કરવો સારો છે. આશાના વૃક્ષને જેટલી કળીઓ બેસે, તેટલાં ફૂલો ના થાય. અરે, ક્યારેક તો કેવળ પત્તાં જ વૃક્ષ પર હોય, તોયે તમને ખાતરીથી એટલું તો કહેવાયને કે છાંયડો તો આપશે જ. દુ:ખનું વિજ્ઞાન-દર્શન જેટલું નજીકથી કર્યું – શૈશવથી અનુભવી, સંધ્યાએ ઢગ દુ:ખ ભેગું થયું છે. એના આધારે કહું. દુ:ખ તો આવવાનું. દુ:ખી થવું કે નહીં, એ આપણા હાથની વાત. વેદનાનો નકશો પાથરો, તમારી સોસાયટીનો. તમારું દુ:ખ જુઓ. માત્ર અલ્પવિરામ કે પૂર્ણવિરામ જેવું લાગશે. આપણને થશે કે લાવો એની વેદનામાં ભાગીદાર થઈએ. અને કોઈની વેદના કાળજે વાવી, કરુણાની વર્ષા કરી – તો પેલાને શાંતિની લહેરખી જેટલી અડે તે ખરી – પણ આપણે લીલાંછમ રહીશું. અને એ વાત ભૂલાય નહીં, તો હિતમાં છે કે આપત્તિ-દુ:ખ એ જીવનનો ચુકાદો – ફેંસલો નથી. એ તો એના કરકમલે કશોક પાઠ, અવસર, ડહાપણ, શીખ લઈને આવી છે. એને ઉવેખીએ નહીં. વિવેકાનંદે કહ્યું, બળદના શિંગડે મચ્છર બેઠો – એને દુ:ખ શું લાગે ? દુ:ખને એ રીતે લેવું

‘આંખ મીંચું તો અંધારાં,
…..આંખ ખોલું તો અજવાળાં,
તેજ-તિમિરના શ્રીહરિએ
…..અજબ કર્યા સરવાળા !
કમળ-કેદમાં ભમરો કેવળ અંધકાર જાણે,
નભે ઊડતું પંખી ઝળહળ અજવાળું માણે’

અન્ય એક કવિતા :
રાત પડે ને રડવું નહીં,
……ને દિવસ પડે કે હસવું નહીં;
ભડભડ ભડભડ બળવું નહીં,
…….ને થીજી જવાય એવું ઠરવું નહીં.

કારણ વગર કોઈને મળવું નહીં,
…….ને કોઈ સાથે ઝઘડવું નહીં.
નાવની જેમ ઊપડવું નહીં,
……ને મોજાંની જેમ ઊછળવું નહીં.

પંથ વહે તો વહેવા દો,
…..પંથની સાથે ચાલવું નહીં,
વૃક્ષની જેમ ઊભા રહી,
…..ફોરમની જેમ વહેવું અહીં

માણસ મરણ પામે છે ત્યારે તેના મૃતદેહથી સહેજ વાર પહેલાં જ અળગા થયેલા જેને પગે લાગી પુષ્પ ચડાવી – પ્રદક્ષિણા કરી માન અપાય છે, કોઈ મહાન દેશ પ્રેમી નેતાને તોપોની સલામી સાથે ચંદનની મીઠી સુગંધ સાથે રડતી આંખે અલવિદા અપાય છે ત્યારે કે કોઈ દેશદ્રોહી ભયંકર ગુનેગારને ફાંસી અપાયા પછી માથા પરથી ટોપી ઉતારી જેને માન અપાય છે તે… જિંદગી. એનું મૂલ્ય એને ધારણ કરનારને દુનિયાની તમામ સંપત્તિથી પણ વિશેષ.
જીવન એટલે આપણા અસ્તિત્વની અસ્મિતા. ચૈતન્યના ખળભળતા સાગરમાં સંવેદના અને ભાવનાના ઉછળતા મોજાઓ. પ્રતિ પળ ઉદ્દઘાટિત થતાં અવનવા વિસ્મયોનો સાક્ષાત્કાર. રવીન્દ્રનાથ ટાગોરે આવા જ અર્થમાં કહ્યું હતું – ‘That I exist is a perpectual surprise which is life’ – ‘હું અસ્તિત્વ ધરાવું છું તે એક નિરંતર આશ્ચર્ય છે અને તે જ મારું જીવન છે.’ જિંદગી તો જાદુગરણી છે. તે પળે પળને નવા રૂપ-રંગે બદલતી રહે છે. સમયના સફેદ પટ પર વૈવિધ્યભરી ઘટનાના અવનવા રંગો પૂરતી જ રહે છે. અંગ્રેજ કવિ પર્સી બીસી શેલીએ આ જ સત્યને કવિતાના શબ્દોમાં ઢાળી પોતાની રીતે ગાયું હતું – ‘Life like a dome of many coloured glass, stains the white radiance of eternity – જીવન, રંગબેરંગી કાચના ગુંબજની જેમ અનંત કાળના શ્વેત પ્રકાશને રંગી દે છે !’
જિંદગી હંમેશા પરિવર્તનના ઘોડા પર સવાર રહે છે. એટલે જ એને પરિવર્તનનો પર્યાય કહેવાય છે. તેમાં સંસરણ અને પરિવર્તનનું સાતત્ય છે. બે બદલાતી પળોને જોડનારી જે સ્થિરતા છે તે જિંદગી છે. આ સ્થિરતા પર પરિવર્તનનું પ્રત્યારોપણ છે એટલે જિંદગી સતત પરિવર્તનશીલ જ લાગતી રહે છે. બે પળ વચ્ચેની ક્ષણિક સ્થિરતા પણ આભાસી (Virtual) લાગે છે. આભાસો પર વાસ્તવિકતા ખડી છે કે વાસ્તવિકતા પર આભાસો ખડા છે એ જાણવું મુશ્કેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન સ્વપ્ન છે કે સ્વપ્ન જીવન છે ? એના જેવી મૂંઝવણ છે. અહીં આરંભ અને અંતની વણઉકલી સમસ્યા પણ છે. પહેલાં બીજ ઉત્પન્ન થયું કે વૃક્ષ અથવા ઈંડું કે મરધી ? આજે વિજ્ઞાન કહે છે કે સ્થળ અને સમય એક જ તત્વના બે આયામો છે. એટલે આ બધા પ્રશ્નોનો જવાબ એક સમાન જ છે. વાસ્તવિકતા અને આભાસો એકમેકને ‘બનવા’ મદદગાર થઈને પોતપોતાના ગુણધર્મો અલગ-અલગ રાખીને યુગપદમાં સમાંતર રહીને સાથે સાથે રહે છે !

આમ જીવન પરિવર્તનનું સાતત્ય છે અને સાતત્યનું પરિવર્તન છે. ડૉ. ઝીવાગોના લેખક, રશિયન સાહિત્યકાર બોરિસ પાસ્તરનાકે તેમની આ નવલકથામાં લગભગ આવા જ શબ્દોમાં જીવનનું સત્ય આલેખ્યું છે : ‘Life is the principle of self-renewal, it is constantly renewing and remaking and changing and transfiguring itself – જીવન આત્મ-પુનર્પરિવર્તનનો સિદ્ધાંત છે. તે સતત અભિનવ થતું રહે છે, પરિવર્તન પામતું રહીને નિત્ય નૌતમ રૂપ ધારણ કર્યા જ કરે છે.’ સોક્રેટીસથી પણ પહેલાં થઈ ગયેલા ગ્રીક તત્વચિંતક હીરાકલીટસે જીવનનું આ સત્ય રજૂ કરતાં લખેલું – ‘All is flux, nothing stays still – બધું જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી.’ જીવનની પળો એટલી ચંચળ છે કે તે પકડવાનો પ્રયત્ન કરવા જતાં જ છટકી જાય છે. સમયના ‘પેસેજ’માંથી ઘટનાઓ વહેતી જાય છે. સાથે સાથે માનવી પણ વહેતો જાય છે. જાણીતા ગુજરાતી કવિ સ્વ. મણીલાલ દેસાઈએ આ વાત સરસ શબ્દોમાં રજૂ કરી છે :
‘સરકી જાયે પલ,
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ,
નહિ વર્ષામાં પૂર નહિ એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગ-નિસંગની એને, કશી અસર નવ થાય.
જાયે તેડી પોઢેલાને એ નવે લોક નવસ્થલ.’

કુદરતના અદ્દભુત કરીશ્માથી સર્જાય છે જીવન સુંદરી ! સમય તેને નવા નવા વાઘા પહેરાવી સોળે શણગારે સજાવતો રહે છે. એને રંગીન રસફૂવારીઓથી ભીંજવી સુખદુ:ખના ખટમીઠા સ્વાદોથી આહલાદ સંતૃપ્તિ આપતો રહે છે. જીવનના અનુભવ સાથે જીવંતતાનો અનુભવ પણ જોડાયેલો છે. એનો અનુભવ ન હોય તો જીવન કેવળ નામનું જ છે. વનસ્પતિ તુલ્ય કેવળ શ્વાસ લેવા પૂરતું કે પથ્થર તુલ્ય કેવળ હોવારૂપ. જીવનધારી પણ જીવનના અનુભવથી વંચિત રહી જાય તેવું પણ અસંભવ નથી. જીવન પ્રત્યે જાગરૂકતા કેળવવાથી જીવંતતા આવી જાય છે. બ્રસ બાટનનું એક સુંદર વિધાન છે : ‘નિશ્ચેતનતાના ખડકને જે માણસ જાગરૂકતાથી શારડી વડે ભેદી શકે છે તેને માટે જીવન પાતાળ કૂવાના ફૂવારાની જેમ ફૂટી નીકળે છે.’ ભર્તુહરિએ વિજ્ઞાન શતકમાં એક સુંદર શ્લોક લખ્યો છે :
‘चिद्रत्नमत्र पतितं वपुरन्धकूपे पुंसो भ्रमादनुपमं महनीय तेज: ।
सद्य: समुद्धरति तभ्दविता कृतार्थो मन्ये स एव समुपासित विश्वनाथ: ।।
મનુષ્યના અજ્ઞાનને લીધે અનુપમ તથા મહાતેજસ્વી ચૈતન્યરૂપી રત્ન
શરીરરૂપી અંધારા કૂવામાં પડી ગયું છે તેનો જે મનુષ્ય ઉદ્ધાર કરે છે
તે કૃતાર્થ છે અને તેણે જ વિશ્વનાથને સાચી રીતે ઉપાસ્યા છે એમ હું માનું છું !’ આમ, જીવન તત્વનો સાક્ષાત્કાર એ જ ઈશ્વરની ખરી આરાધના છે. જાગૃત સાક્ષીભાવથી માનવી અસ્તિત્વનાગહન અંતરાલમાં ડોકીયું કરી શકે છે અને સ્વયં-સુવૃત સત્યને યથાર્થ રીતે પામી શકે છે. એટલે જ ભગવાન બુદ્ધે મૂર્ચ્છાને મૃત્યુપદ અને આત્મ-હોશને અમૃતપદ કહ્યાં છે : अप्पपदो अमतपदं, पमादो मच्चुनो पदम ।

માનવીની જિંદગી સાતત્ય અને પરિવર્તન પર આધારિત છે. જીવન અને જિંદગી વચ્ચે એક તાત્વિક તફાવત છે. જેમાં જૂનાને હડસેલી દેવાનું સાહસ અને નવાને વધાવી લેવાનો ઉમળકો ન હોય તે જિંદગી જિંદગી ન કહેવાય. તેમાં ચેતનાનો ચમકારો જોઈએ, પરિવર્તનનો ભણકારો જોઈએ ! ક્રિયામાં ભાવની ઉત્કટતા આવે ત્યારે જ જીવન જિંદગી બને. એટલે જ કહેવાયું છે : ‘જિંદગી ઝિંદાદિલીનું નામ છે, જીવવું દિલ જીતવાનું કામ છે !’ ઝિંદાદિલ માનવી ગમે તેવી પ્રતિકૂળતાનો હસતે મુખે સામનો કરી શકે છે –
कुछ नहीं डर वायु जो प्रतिकूल है । और पैरोंमें कसकता शूल है ।
क्योंकि मेरा तो हर अनुभव यही । राह पर हर एक कांटा फ़ूल है ।
ક્રિયાની નિષ્ઠામાં કે ભાવની શુદ્ધતામાં સહેજ પણ અધુરપ જિંદગીની યથાર્થતાને દૂષિત કરી દે છે. ભાવ અને કર્મમાં શિથિલતા આવે તો તે એક પ્રકારનો રોગ બને. ઉત્કટતાનો અભાવ જીવનને લકવાગ્રસ્ત બનાવી દે છે. સાચી જિંદગી જીવવા માણસ માટે એ જરૂરી છે કે તે દરેક ક્રિયા દિલ દઈને કરે ! જે કરવું છે તેમાં ‘ડૂબી જવું’ને જે મેળવવું છે તે માટે ‘મરી ફીટવું’ એ જ જીવન પુષ્પને પૂરબહારમાં ખિલવવાનું સૂત્ર છે. મરજીવા મરવાથી ડરતા નથી, એટલે જ ઉંડા સાગરમાંથી મોતી બહાર કાઢી શકે છે. એમને મરવું અને જીવવું સમાન જ લાગે છે એટલે તો એમનું નામ ‘મરજીવા’ પડ્યું છે ! એક શાયરે અદ્દભુત કહ્યું છે :
‘मुझे रोकेगा तु अय नाखुदा क्या गर्क होनसे ?
कि जिन को डूबना हो, डूब जाते है सफ़ीनोमें.’
આવી જ ખુમારીથી બીજા એક શેરમાં કહેવાયું છે –
‘दरिया की जिंदगी पर सदके हजार जानें,
मुझ को नहीं गँवारा, साहिलकी मौत मरना’

એક સુંદર પ્રસંગ સાંભળ્યો હતો –
એક વાર એક રાજાએ તેના એક સંનિષ્ઠ અને પ્રમાણિક મંત્રીને બીજા મંત્રીઓની ખોટી કાનભંભેરણીથી દેહાંતદંડની સજા ફરમાવી દીધી. એ સંદેશો આપવા માટે અને તેના પર પહેરો ભરવા માટે કેટલાક સિપાઈઓ પણ મોકલ્યા. જ્યારે તે બધા મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેના જન્મદિવસની ઉજવણીનો ભવ્ય સમારોહ ચાલી રહ્યો હતો. સિપાઈઓએ તે મંત્રીને રાજાનો આદેશ સંભળાવ્યો : ‘આજે સાંજે ભરબજારમાં તમને ફાંસી આપવામાં આવશે. તમારે અહીંથી બહાર નીકળવાનું નથી. સિપાઈઓ ઘરની બહાર પહેરો ભરી રહ્યા છે.. સમય થશે ત્યારે તમને બેડી પહેરાવી બજારમાં લઈ જવામાં આવશે.’ આ આદેશ સાંભળતાની સાથે જ સન્નાટો છવાઈ ગયો. જલસાના રંગમાં ભંગ પડ્યો. સંગીતકારો ગાતાં અને વગાડતાં અટકી ગયા. સૂરાવલીઓ જાણે હવામાં જ થીજી ગઈ ! નર્તકીઓના પગ નૃત્ય કરતાં કરતાં થંભી ગયા. ભોજન કરી રહેલા લોકોના હાથમાં લેવાયેલ કોળિયો હાથમાં જ રહી ગયો ! બધા પેલા મંત્રી તરફ જોવા લાગ્યા. તેના મુખ પર પહેલાંના જેવી જ પ્રસન્નતા અને સ્વસ્થતા છવાયેલી હતી. તેણે આમંત્રિતોને વિનંતી કરી – ‘શોક ન કરશો. ખાઓ-પીઓ, નાચો-ગાઓ, મજા કરતા જ રહો. આ મારી અંતિમ ઈચ્છા છે.’ મરનારની અંતિમ ઈચ્છા તો પૂરી કરવી જ જોઈએ ને ?! ફરીથી કાર્યક્રમ ચાલુ થયો. મંત્રી પહેલાંની જેમ મસ્તીથી ઝૂમવા લાગ્યો. ધીરે ધીરે બીજા બધા પણ તેમાં જોડાવા લાગ્યા. કોઈકે આ સમાચાર રાજાને આપ્યા. રાજા પોતે તે જોવા દોડી આવ્યો. તેને તેની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો ! તેણે મંત્રીને પૂછ્યું – ‘આજે સાંજે તને ફાંસી મળવાની છે તે સમાચાર સાંભળવા છતાં તું આટલો આનંદિત કેમ છે ?’ મંત્રીએ તેનો જવાબ આપતાં કહ્યું : ‘મહારાજ, તમે જાણો જ છો હું જીવનની હર પળ આનંદથી જ જીવ્યો છું. એની છેલ્લી પળો દુ:ખી થઈને જીવું તો આખા જીવનને અન્યાય કર્યો કહેવાય. જેમ જીવનને આનંદથી માણ્યું તેમ હવે મૃત્યુને પણ આનંદથી માણવા માગું છું. મારો જન્મ દિવસ જ મારો મરણ દિવસ બનવાનો છે એ તો મારું સૌભાગ્ય કહેવાય. સોનામાં સુગંધ ભળવા જેવું ગણાય.’
રાજાએ વિચાર કર્યો : ‘શું આને દેહાંત દંડ આપવો યોગ્ય કહેવાય ? બહુ ઓછા માણસો જીવન જીવવાની આવી કળા જાણતા હશે ! મોટાભાગના લોકો જીવતાં જીવતાં મરી જતા હોય છે, પણ આ તો મરીને પણ જીવી જાય એવો માણસ છે ! જેને જીવતાં આવડતું હોય તેની પાસેથી આવું અદ્દભુત જીવન છીનવી લેવું એ એક અપરાધ છે.’ રાજાએ તેને જીવતદાન આપ્યું. થોડા સમયમાં જ પેલા કાવતરાબાજ પ્રધાનોના અપરાધનો ભાંડો ફૂટી ગયો. પેલો પ્રધાન નિર્દોષ સાબિત થયો. રાજાએ ભરસભામાં તેની ક્ષમા માંગી અને તેનું ભારે બહુમાન કર્યું. તેને પહેલાં કરતાં પણ વધુ ઉચ્ચ પદ પ્રદાન કર્યું. તેણે જીવનકળાના એ અદ્દભુત સાધકને નતમસ્તક પ્રણામ કર્યા !

ઝિંદાદિલ જિંદગી જીવનાર માનવી આવો હોય. વિશ્વના મહાન અંગ્રેજ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે જુલિયસ સિઝરનું બહુમાન કરતાં લખ્યું હતું :
His life was gentle and the elements so mixed in him,
That nature might stand up and say to the whole world-
This was a man !’

‘તેનું જીવન ઉમદા હતું અને તેનામાં હતા ગુણો એવા સંમિશ્રિત,
કુદરત પોતે ઉભી થઈ જાય અને કહે આખા જગતને, ‘આ હતો એક માનવી !’
આવું મહાન હોવું જોઈએ માનવીનું જીવન. જીવનને ઉદાત્ત બનાવવા ઉત્કૃષ્ટ વિચારો અને ઉમદા કાર્યો કરતાં રહેવું પડે. તે પણ આત્મ-જ્ઞાનની પૂર્ણ સભાનતા સાથે. જીવન સતત જાગરણમાં રહેવાની પ્રક્રિયા છે. સુષુપ્તિ મરણ અને જડતાની નિશાની છે. માનવીએ પૃથ્વીના તમસભર્યા અંધકારમય માર્ગ પરથી પસાર થઈ દિવ્ય જ્યોતિનો સાક્ષાત્કાર કરવાનો છે જ્યાં દ્વન્દ્વ અને સંઘર્ષ સર્વથા નિવૃત્ત થઈ જાય છે. જડ ચૈતન્ય વિના વિકાસરહિત છે અને ચૈતન્ય જડ વિના આકારરહિત. આ બન્નેની પ્રતિક્રિયા જ જીવન છે. સર્જનહાર જડ-ચેતન સાથે જે સંતાકુકડી રમી રહ્યો છે તે જ છે જીવન. જે માનવી ચેતન રૂપ પરમાત્માને જ્ઞાન અને હોશથી શોધી કાઢે છે તે જીવનની સર્વોત્તમ ફલશ્રુતિ રૂપ અલૌકિક આનંદને ઉપલબ્ધ કરી લે છે. એટલે જ જેમ્સ જોયસ જેવા જીવનને આવકારી પૂર્વે સર્જાયું ન હોય તેવું જીવન બનાવવાની જેહાદ ઉપાડે છે :
Welcome, O life ! I go to encounter for the millionth time the reality of experice and to forge in the smithy of my soul the uncreated consicience of my race’

જો માનવીના જીવનમાં જાગરણની પ્રક્રિયાથી આનંદમયતા ન આવે તો તેને તે ભારસલ્લી અને નિરર્થક લાગે છે. તેના મુખેથી ‘બેફામ’ની જેમ કેવળ અફસોસના શબ્દો જ ઉચ્ચારવાના બાકી રહે છે.
‘ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાંખી દુનિયા એ
હતી નહિ તો બહુ સારી જીવનની વારતા મારી !’

એટલે જ મને ઘણી વાર એ વિચાર આવ્યા કરે છે –
દરેક માનવીને યોગ્ય જિંદગી તો પ્રાપ્ત થાય છે, પણ દરેક જિંદગીને યોગ્ય માનવી પ્રાપ્ત થાય છે ખરો ?